જ્યોતિ મૌર્યા કેસમાં આવ્યો નવો વળાંક, પતિ આલોકને મળી બંપર ઓફર…

હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ જ્યોતિ મૌર્ય કેસ વિશે તો તમે જાણતા જ હશો.લગ્ન બાદ પતિના પૈસા અને સાસરિયાના સહકારથી એસડીએમ બનેલી જ્યોતિ મૌર્યાએ નોકરી મળતા જ પતિ અને સાસરિયાં વિરૂદ્ધ દહેજનો આરોપ લગાવ્યો હતો.


જે બાદ પતિ આલોકે પણ પત્ની પર લગ્નેતર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં આ કિસ્સામાં અનેક લોકો પોતાનો મત રજૂ કરી રહ્યા છે. કોઈ પત્નીને સાચું કહી રહ્યું છે તો કોઈ પતિની તરફેણમાં બોલી રહ્યું છે.

એટલું જ નહિ આ કેસને લઈ સોશિયલ મીડિયા પર અનેક વિડિયો અને જોક્સ પણ સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં આ કેસને લઈને એક મહત્વની ખબર સામે આવી રહી છે. હાલમાં પતિ આલોકના જણાવ્યા અનુસાર આ કિસ્સા બાદ તેને કેટલાક કોચિંગ ક્લાસના સંચાલકો તરફથી ફ્રીમાં અભ્યાસ કરાવવાની ઓફર આપવામાં આવી રહી છે.

કોચિંગ ક્લાસના સંચાલકોનું કહેવું છે કે આલોકને જ્યોતિ સામે લડવા તેના જેટલું જ્ઞાન અને પદ હોવું જરૂરી છે.જો કે હાલમાં આલોકે કોચિંગની ઓફર સ્વીકારી નથી. ઉલ્લેખનિય છે કે આલોક સફાઈ કર્મચારી છે.

તેને સરકારી પરીક્ષા દ્વારા નોકરી મેળવી હતી.જો કે આ નોકરી બાદ તેને પત્નીને આગળ વધારવાના ઇરાદા સાથે આલોકે પોતાના અભ્યાસ પર બ્રેક લગાવી દીધી હતી.